NEET પરીક્ષાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો: પરીક્ષાને રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાથી કોર્ટનો ઈન્કાર, NTA પાસે માંગ્યો જવાબ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11062024_070204_NEET-1.webp)
- 11 Jun, 2024
નીટ યુજી પરિણામ સામે આવ્યા પછીથી મેડિકલ ફિલ્ડમાં ખળભળાટ મચી ગયો છે. રિઝલ્ટ જોયા પછી ટોપર્સનું લિસ્ટ અને ગ્રેસ માર્ક્સ વિદ્યાર્થીઓને હેરાન કરી રહ્યાં છે. મેડિકલ વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં બેદરકારી રાખવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એનટીએની વિરુદ્ધ તમામ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જોકે સુપ્રીમ કોર્ટે આજે થયેલી સુનાવણીમાં કહ્યું કે તે એનટીએની દલીલ પણ સાંભળવા માંગશે.
ઉલ્લેખનીય છે કે નીટ યુજી રિઝલ્ટ જાહેર થઈ ગયા પછી વિદ્યાર્થીઓનો ગુસ્સો એનટીએ પર ઉભરી રહ્યો છે. મેડિકલ સ્ટુડન્ટ્સે પરીક્ષા આયોજિત કરનારી એજન્સી એનટીએ પર ઘણા સવાલો કર્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વખતે પરીક્ષામાં કોઈને કોઈ ગડબડ થઈ છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે 67 સ્ટુડન્ટ્સના ફુલ માર્ક્સ આવ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા બધા ટોપર નીકળવાના પગને લોકો નીટ પર શંક કરી રહ્યાં છે. જેને લઈને સોશિયલ મીડિયા અને રોડ પર સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ કરી રહ્યાં છે.
નીટ પરીક્ષાને લઈને એનટીએની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઢગલાબંધ અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કઉન્સિલિંગ પર રોક લગાવવા અને રી-એક્ઝામ લેવાથી ઈન્કાર કર્યો છે. આજે સુપ્રીમ કોર્ટ માં નીટ પરીક્ષાને લઈને સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર રોક લગાવવા અને રી-એક્ઝામ લેવાથી ઈન્કાર કર્યો છે. સાથે જ આગામી સુનાવણીમાં એનટીએનો પક્ષ પણ સાંભળવામાં આવશે.
નીટ પરીક્ષા મેડિકલ સ્ટુડન્ટ્સની વચ્ચે એક મોટો મુદ્દો બની ગઈ છે. નીટ યુજીના મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે 8 જૂને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં નીટ રિઝલ્ટને લઈને ઉઠી રહેલા સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા. જોકે એનટીએએ નીટની રી એક્ઝામને લઈને કહ્યું કે તમામ સ્ટુડન્ટ્સની રી-એક્ઝામ થશે નહીં. જે કેન્ડીડેટ્સને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે, તેને લઈને એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના રિપોર્ટના આધારે એક સપ્તાહ પછી ચુકાદો સામે આવશે.
સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટીસ ઈસ્યુ કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. કાઉન્સિલિંગ પર રોક લગાવવાથી હાલ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી સુનાવણીની આગામી તારીખ પણ હજી નક્કી થઈ નથી. કોર્ટે કહ્યું કે અમે એનટીએની દલીલને પણ સાંભળવા માંગીએ છીએ.